વેલેન્ટાઈન ડે...પ્રેમનો પર્વ.... આ સપ્તાહ...ભારતથી લઈ દુનિયા ભરમાં ચો તરફ પ્રેમનું પાગલપન જોવા મળે છે. 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કરતા વધું તૈયારીઓ...અને દિવાળી જેટલી ખરીદીઓ...પ્રેમ પર અત્યાર સુધીમાં એટલું લખાયું છે કે પ્રેમ અંગે કંઈ વધારે લખવું એ કદાચ મારી હેંસિયત બહારની વાત છે...
કાંતિ ભટ્ટ કહે છે તેમ કે હાલના સમયમાં લગ્નમાં બને તેટલો વિલંબ અને ડાયવોર્સમાં ઉતાવળ થઈ રહી છે ત્યારે ફાંટેલા પાનાઓ જેવા ફાંટી જતા સગપણના આ સમયમાં....જ્યાં મિત્રોની સાથે પ્રેમી અને પ્રેમિકાઓ પણ એકસ્પાયરી ડેટ્સ સાથે આવે છે તેવા આ યુગમાં જો કોઈ એક વ્યક્તિ આપણને અથવા તો આપણે કોઈ એક વ્યક્તિને પૂર્ણ રીતે પ્રેમ કરી શકીએ તો ખરેખર જનમ સફળ થઈ જાય. સાહિત્યનો સંગ્રહ કરવાનો મને શોખ છે એટલે મારા કલેક્શનમાંથી પ્રેમ અંગેની થોડી વાતો આપના સમક્ષ મુકુ છું...આશા છે આપને ગમશે..
પ્રેમ એટલે,
કાળજી, સંભાળ, ખુશાલી, કોઈનો સંગાથ, હુંફાળી લાગણી, સામી વ્યક્તિનો બધી રીતે સ્વીકાર, વિશ્વાસ,મૈત્રી, સમર્પણ, સમજણ, પ્રામાણિકતા, સન્માન, સંતોષ, મધુરતા, દિલની ધડકન, નિકટતા, ઐક્ય,વચનબદ્ધતા, કોઈની હાજરી માત્રથી આનંદ અને કોઈનો વિયોગ...
પ્રેમ એટલે તમારા માટે તમે જેટલા પ્રામાણિક છો તેટલા જ બીજા માટે હોવું
પ્રેમ એ એવી ભૂમિ છે જેના પર રસ્તાઓની રેખા નથી હોતી
પ્રેમ એક એવી ચળ છે જે ખંજવાળી શકાતી નથી
પ્રેમ ભૂત જેવો છે બધા તેની વાતો કરે છે પરંતુ બહુ ઓછાને તેનો અનુભવ હોય છે.
પ્રેમ એ ન કહી શકાય તેવી વાર્તા છે.
પ્રેમ અને મીણબત્તી પોતાના પ્રકાશમાં જ ઓગળે છે
આબરુદાર માણસ કદી પ્રેમ નથી કરી શકતો
ક્યારેય ન માણી હોય એવી મોસમનો કલરવ યાદ આવે ઈ પ્રેમ છે
‘ને દાઢી કરતા લોગી નિકળેને પાલવ યાદ આવે ઈ પ્રેમ છે. - મુકુલ ચોકસી
આમ તો કરવો તો પ્રેમ મારે પુરી દુનિયાને પણ વચ્ચે તમે થોડા વધારે ગમી ગયા.–મુકેશ જોષી
સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે નહીં...ક્યારેક ક્યારેક ખોટા સમયે થાય છે.
સ્ત્રીઓ પ્રેમ કરવા માટે સર્જાઈ છે સમજવા માટે નહીં – ઓસ્કર વાઈલ્ડ
મુહોબ્બત શું છે ? શું સમજાવું તમને ? કદી કોઈ વારે તહેવારે રડ્યા છો ? – પાલનપુરી
ઈશ્ક મે ઈશ્ક હૈ તો ઈશ્કકા ઈઝહાર હોના ચાહિયે, આપકો ચહેરેસેભી બિમાર હોના ચાહિયે.
જો મે ઐસા જાનતી કે પ્રિત કીયે દુખ હોય, નગર ઢંઢેરા પીટતી કે પ્રિત ન કીજો કોઈ. –મીરા
પ્રેમ અને પુસ્તક વચ્ચે ઘણી સામ્યતા છે. કેટલાક પુસ્તકોનું આપણે ખાલી મુખપૃષ્ઠ જોઈએ છીએ, કેટલાંકના ખાલી પાના ઉથલાવી મુકી દઈએ છીએ, કેટલાંક આપણા તકીયા નીચે મુકી રાખીએ છીએ..અચાનક આંખ જ્યારે પણ ખુલે ત્યારે વાંચવા મંડીએ છીએ...કેટલાંક પુસ્તકના શબ્દે શબ્દ વાંચી નાંખીએ છીએ..એમાં ખોવાઈ જઈએ છીએ...કેટલાંક પુસ્તકોમાં રંગબેરંગી નિશાનીઓ કરીએ છીએ..અને કેટલાંક પુસ્તકોના નાજૂક પૃષ્ઠો પર નિશાની કરતા પણ ડરીએ છીએ.–પંજાબી કવિતા
પ્રેમમાં ક્યાં જાણકારી હોવી જોઈએ, બસ હ્યદય વચ્ચે કટારી હોવી જોઈએ
શ્રી હરિને છોકરીમાં સામ્યતા, બેઉં જણ માટે પુજારી જોઈએ.– મુકેશ જોષી
પ્રેમ અમારો મહાદેવને અમે એના નંદીજી,આંખ મારતી જે જે છોરી અમે એમના બંદીજી.- ઉ.ઠક્કર
કિનારા પરની રેતીમાં ખોવાઈ ગયેલી વીંટી જેવો છે પ્રેમ,પ્રેમ મળશે એની આશામાને આશામાં તમે શોધ્યા જ કરો છો.... વીંટી કેમેય કરી મળતી નથી પરંતુ આશા મરતી નથી.–તેલુગુ કવિતા
મીણબત્તીના મીણને કોઈએ પ્રશ્ન પુછ્યો કે સળગે છે તો દોરો પણ તુ કેમ ઓગળે છે ત્યારે મીણબતીએ સરસ જવાબ આપ્યો કે જેને દિલમાં સ્થાન આપ્યું હોય તે સળગેને તે જોઈ શકાતું નથી.
વો લમ્હા સારે જહાં કી ઈબાદત સે પ્યારા હૈ, જો એક ઈન્સાને ઈન્સા કી મુહોબ્બતમે ગુજારા હૈ
કર્યો છે રમ્ય ગુનો મે દરેક ગુના સાથે .જરાક પ્યાર પણ આપો મને સજા સાથે.- ર.મણિયાર
દિલમે ન હો જુર્રત તો મુહોબ્બત નહીં મિલતી,ખૈરાતમે ઈતની બડી દૌલત નહીં મિલતી – નિદા ફાઝલી
જો હો ઈક બાર વો હર બાર હો ઐસા નહીં હોતા, હંમેશા એક હી સે હો પ્યાર ઐસા નહીં હોતા,
કહી તો કોઈ હોગા જીસકો અપની ભી જરૂરત હો,હર ઈક બાજીમે દિલકી હાર હો ઐસા નહીં હોતા.-નિ.ફા.
ગભરૂ આંખમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લીજ્જત છે
ચર્ચાનો વિષય એ હોઈ ભલે ચર્ચાઈ જવામાં લીજ્જત છે
દુખ પ્રિતનું જ્યાં ત્યાં ગાવું શું ? ડગલે પગલે પસ્તાવું શું ?
એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લીજ્જત છે.
જે અંધ ગણે છે પ્રેમને એ આ વાત નહીં સમજી જ શકે
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લીજ્જત છે.
થઈ ગયું મિલન પ્રચાર કરો, રાત જાય છે, પડછાયા સાથે પ્યાર કરો, રાત જાય છે, વાતો ઘણી થઈને ખુલાસા ઘણા થયા, થોડો હવે તો પ્યાર કરો, રાત જાય છે.પાગલ છો ? ચાંદનીને કહો છો કે જા નહીં, કંઈ એનો તો વિચાર કરો, રાત જાય છે. – સૈફ પાલનપુરી
મુહોબ્બતને શબ્દોમાં ઢાળીને મોકલી, ગુસ્તાખી એટલી કે વાળીને મોકલી. – સાંઈરામ
હવે આટલા બધા લોકોએ એક વિષય પર આટલું બધું લખ્યું હોય તો ભલા બીજુ કંઈ લખવાની આપણી શી મજાલ....તો ચાલો ત્યારે.....
જય વેલેન્ટાઈન....
તા.ક. : આજના દિવસે તમને એવા મેસેજ આવે કે 14 ફેબ્રુઆરીએ શહિદ ભગતસિંહને ફાંસી અપાઈ હતી અને આપણે તેને ભુલી અને વેલેન્ટાઈન ડે મનાવી રહ્યા છીએ...તો તમારા એ શુભચિંતકને જાણ કરવી કે ભગતસિંહને 14 ફેબ્રુઆરી 1931 નહીં પણ 23-3-1931નાં દિવસે ફાંસી અપાઈ હતી. તમે વેલેન્ટાઈન ડે ઉજવો એમાં ભગતસિંહને કોઈ વાંધો નથી. જય હિંદ.